પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણમાં 100 નચિકેતા ફાઉન્ડેશન દ્વારા અગ્નિવીર તરીકે પસંદગી પામેલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું તેમજ નચિકેતા યુવા હોસ્ટેલનો ઉજવણીપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ (IAS) અને સેવન ગુજરાત બટાલિયન NCCના સબ મેજર અશોકકુમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નવા અગ્નિવીરોને તેમની ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું.
આ સંસ્થા 2019થી કાર્યરત છે અને તે અગ્નિવીર, આર્મી અને SSC-GD માટે યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપે છે. અત્યાર સુધીમાં 114 યુવાનોને વિવિધ સૈન્ય દળોમાં સફળતા મળી છે. નવી શરૂ થયેલી યુવા હોસ્ટેલમાં 70-80 યુવાનોને નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાએ ઇન્ડિયન આર્મીમાં પસંદ થયેલા યુવાનોને તેમના વાલીઓની હાજરીમાં ટ્રોફી આપી સન્માનિત કર્યા. સબ મેજર અશોકકુમારે સંસ્થાને 1000 યુવાનો સુધી પહોંચવાની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, ફેકલ્ટી મેમ્બર, કોચ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ દરજી સમાજના પ્રતિનિધિઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર