પાટણ, 17 જૂન (હિ.સ.) : અમદાવાદમાં ગત ગુરુવારે ગોઝારી વિમાન ક્રેશ દુર્ઘટના સર્જાય. જેમાં જીવતા લોકો આગની ઝપેટમાં આવી ગયા અને કરુણંતીકા ફેલાઈ ગઈ, આ ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોના મૃત્યુ થયા.
આ દુર્ઘટના અંતર્ગત સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અધ્યક્ષતામાં સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ તેમજ ત્રિરંગા વિદ્યા સંકુલ ઘ્વારા અમદાવાદ માં થયેલ પ્લેન દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકો માટે સોમવારે સાંજે જુના ટાવર થી શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. જેમા શહેરના નગરજનો અને વેપારી મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર