પાટણમાં ત્રીજી સૌથી મોટી રથયાત્રા 27 જૂને યોજાશે
પાટણ, 17 જૂન (હિ.સ.) : ગુજરાતની બીજા નંબરની અને દેશની ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા 27 જૂને પાટણ શહેરમાં યોજાશે. અષાઢી બીજના દિવસે વહેલી સવારે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. બપોરે 12:39 કલાકે શુભ મુહૂર્તમાં
પાટણમાં ત્રીજી સૌથી મોટી રથયાત્રા 27 જૂને યોજાશે


પાટણ, 17 જૂન (હિ.સ.) : ગુજરાતની બીજા નંબરની અને દેશની ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા 27 જૂને પાટણ શહેરમાં યોજાશે. અષાઢી બીજના દિવસે વહેલી સવારે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. બપોરે 12:39 કલાકે શુભ મુહૂર્તમાં ત્રણેય રથમાં ભગવાનને બિરાજમાન કરાશે અને બપોરે 2 વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન થશે.

જગદીશ મંદિરથી શરુ થનારી રથયાત્રા હિંગળાચા ચર, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, બીએમ હાઈસ્કૂલ રોડ, સુભાષ ચોક, જુનાગંજ બજાર, ત્રણ દરવાજા, રતનપોળ, સાલવીવાડા અને રોકડિયા ગેટ પસાર કરીને રાત્રે 10 વાગ્યે મંદિર પરત ફરશે. આ યાત્રામાં હજારો ભક્તો જોડાવાની સંભાવના છે.

આ અવસરે રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્ય અનુસાર, યાત્રામાર્ગ પર રસ્તાની મરામત, લટકતા વીજતાર દૂર કરવી, મધપૂડા હટાવવાં, જર્જરિત મકાનો ઉતારવા અને રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા જેવી તૈયારીઓ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande