પાટણ, 17 જૂન (હિ.સ.) : હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક કાર અકસ્માતમાં જશવંતપુરા ગામની 45 વર્ષીય ગીતાબેન ભાવાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. તેઓ કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા લેવા આવ્યા હતા. અગાઉ તેઓ કુકરાણા ખાતે ખેતી કરતા હતા, પરંતુ હાલ ખેતી માટે બીજું સ્થળ પસંદ કરતા તેઓ દાખલા લેવા આવ્યા હતા.
સંબંધીઓને મળ્યા બાદ હારીજ તરફ જવા માટે તેઓ રસ્તાની એક બાજુ ઊભા હતા ત્યારે હારીજ તરફથી આવતી એક અચાનક કારે તેમને અડફેટે લીધા અને લગભગ 40 ફૂટ સુધી ઘસડ્યા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ દુર્દૈવી મોત નિપજ્યું. અકસ્માત જોવા માટે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
લોકોએ તરત જ કારમાં સવાર એક શખ્સને પકડીને પોલીસને સોપ્યો, જ્યારે કાર ચલાવતો ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર