અમદાવાદ વિમાન દુર્ઘટના: અત્યાર સુધીમાં કુલ 211 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી 189 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ, 19 જૂન (હિ.સ.): અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 211 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 189 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. મીડિયા બ્રીફિંગમાં વધુ વ
सिविल अस्पताल के अधीक्षक डॉ. राकेश जोशी


અમદાવાદ, 19 જૂન (હિ.સ.): અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 211 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 189 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું.

મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૮ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૨ પરિવાર આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે , ૧૧ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈએ રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૮૯ મૃતકોમાં ૧૪૨ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૨ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૭ નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.

ડો.રાકેશ જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, ઉદયપુર ૭, વડોદરા ૨૦, ખેડા ૧૦, અમદાવાદ ૫૫, મહેસાણા ૬, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૧૬, ભરૂચ ૫, સુરત ૧૧, પાટણ ૧, ગાંધીનગર ૬, મહારાષ્ટ્ર ૨, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, પટના ૧, રાજકોટ ૩, મુંબઈ ૯, નડિયાદ ૧, જામનગર ૨, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના૧, લંડન ૨, નાગાલેન્ડના ૧ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande