ગોધરા, ૧૯ જુન (હિ. સ.) મોરા ગામના ગામતળથી કેનાલ તરફના જતા રસ્તાને મેત્રાલ તરફથી આવવા માટે વન-વે રૂટ જાહેર કરતું જાહેરનામુ પ્રસિધ્ધ
વૈકલ્પિક રસ્તા તરીકે મોરાથી મેત્રાલ તરફ જતા રસ્તાને “જવા માટેના રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે.
સરકારના વન-વે રસ્તો કરવાના નિયમોનુસાર મોરા ગામના લોકોની રજૂઆતો અને ટ્રાફીકની સમસ્યા દુર થાય તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ મોરા ગામના ગામતળથી કેનાલ તરફના જતા રસ્તાને મૈત્રાલ તરફથી આવવા માટે અને તેના વિકલ્પ તરીકે મોરાથી મેત્રાલ તરફ જતા રસ્તાને જવા માટેના રસ્તા તરીકે વન-વે જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં પંચમહાલ જિલ્લાના મોરા ગામના ગામતળથી કેનાલ તરફના જતા રસ્તાને મેત્રાલ તરફથી આવવા માટે વન-વે રૂટ જાહેર કરવામા આવ્યું છે. તેમજ વૈકલ્પિક રસ્તા તરીકે મોરાથી મેત્રાલ તરફ જતા રસ્તાને “જવા માટેના રસ્તા તરીકે ઉપયોગ કરવાનો હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ