પોરબંદર, 19 જૂન (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગબોર્ડ, પોરબંદર દ્વારા યોગ પ્રત્યે જનસામાન્યમાં જાગૃતિ પ્રસરે તેમજ યોગને દિનચર્યાનો અભિન્ન ભાગ બનાવી લોકો સ્વસ્થ, નિરોગી તેમજ મેદસ્વિતા મુક્ત બને તે હેતુસર પોરબંદર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં વિવિધ યોગજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને સ્વચ્છ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોરબંદર યોગ કલાસમાં કુલ 56 કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા યોગાસન, પ્રાણાયામ તેમજ આરોગ્યલક્ષી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.ગત મહિને 9 મે 2025ના રોજ હાથીટાંકી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વિશાળ યોગ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના 3000 થી વધુ નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. ઉપરાંત, ગત પેલી જૂન 2025 ના રોજ ખીજડી પ્લોટ ગાર્ડનમાં યોજાયેલા કાર્યક્રમમાં 2000 થી વધુ નાગરિકોએ હાજરી આપી યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવાનું સંકલ્પ લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદર દ્વારા જિલ્લાની 20 શાળાઓમાં સ્વચ્છ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમો શરૂ છે.આવી રીતે ગુજરાત રાજ્ય યોગબોર્ડ પોરબંદરનો આ પ્રયાસ દ્વારા લોકોમાં મેદસ્વિતા મુક્તિ, યોગ અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવામાં અમુલ્ય યોગદાન મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya