પાટણ, 20 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ચોમાસાના પ્રારંભ સાથે ભારે વરસાદ થી ભરાતા પાણી અનુસંધાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સરસ્વતી નદી કિનારે બની રહેલ રિવર ફ્રન્ટ બનાવવાના કામે માટીના પુરાણથી લેવલ ઊંચું આવતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને શહેરના નીચાણવાળા વિસ્તારો સિદ્ધેશ્વરી સોસાયટી, ચાર રસ્તા, જય અંબે ચોક તિરુપતિ ટેનામેન્ટ વગેરે વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ અંગે માહિતી મેળવી એનો યોગ્ય નિકાલ કરવા અંગે મામલતદાર, મુખ્ય અધિકારી રીવરફ્રન્ટના અધિકારીઓ વગેરેને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ,નગરપાલિકાના કોર્પોરેટરઓ, એપીએમસી ચેરમેન તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર