ભોપાલ, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.)
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, આજે મધ્યપ્રદેશના એક
દિવસીય પ્રવાસે સાગર આવી રહ્યા છે. તેઓ સાગરમાં ડૉ. હરિસિંહ ગૌર યુનિવર્સિટીના 33મા દીક્ષાંત
સમારોહ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
જનસંપર્ક અધિકારી સૌમ્યા સમૈયાએ જણાવ્યું હતું કે,” ગડકરી
નાગપુર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા રવાના થશે અને સવારે 11:15 વાગ્યે સાગરના ઢાના એરસ્ટ્રીપ પહોંચશે. અહીં તેઓ સવારે 11:50 વાગ્યે ડૉ. હરિસિંહ ગૌર યુનિવર્સિટીના 33મા દીક્ષાંત
સમારોહમાં હાજરી આપશે. આ પછી, બપોરે 1:45 વાગ્યે, તેઓ રાજ્યના ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી
ગોવિંદ સિંહ રાજપૂતના નિવાસસ્થાન માતેશ્વરી ભવન પહોંચશે.”
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી બપોરે 2:10 વાગ્યે, સાગર
વિસ્તારમાં હાઇવે પ્રોજેક્ટના કામોની સમીક્ષા કરશે અને ત્યારબાદ 3:10 વાગ્યે તેઓ
સુભદ્રા ભવન મકરોનિયા ખાતે પ્રદેશ સાંસદ ડૉ. લતા વાનખેડે સાથે, ઔપચારિક મુલાકાત
કરશે. કેન્દ્રીય મંત્રી સાંજે 4 વાગ્યે ઢાના સાગર એરસ્ટ્રીપથી નાગપુર જવા રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ