આરએસએસ હંમેશા, સમાવેશકતાને અપનાવે છે: રાજ્યપાલ
મુંબઈ, નવી દિલ્હી,20 જૂન (હિ.સ.) મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે મુંબઈમાં જણાવ્યું હતું કે,” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હંમેશા સમાવેશકતાને અપનાવે છે, જે સનાતન ધર્મના મૂળ મૂલ્યો - સમાનતા, સેવા અને એક
ેોલુપ


મુંબઈ, નવી દિલ્હી,20 જૂન (હિ.સ.)

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે મુંબઈમાં જણાવ્યું હતું કે,”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હંમેશા સમાવેશકતાને અપનાવે છે, જે સનાતન ધર્મના

મૂળ મૂલ્યો - સમાનતા, સેવા અને એકતામાં

મૂળ ધરાવે છે.”

રાજ્યપાલ શુક્રવારે રાજભવન ખાતે, 'હમ આરએસએસ મેં ક્યૂં હૈં...?' નામના પુસ્તક

વિમોચન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ પુસ્તકના લેખક વિચારક અને આરએસએસ પ્રચારક રમેશ

પતંગે છે.

આરએસએસના શતાબ્દી વર્ષમાં, આ પુસ્તક લખવા બદલ પતંગેની

પ્રશંસા કરતા રાજ્યપાલે કહ્યું કે,” તેમણે સંશોધન કરેલા પુરાવા, ઐતિહાસિક તથ્યો

અને તાર્કિક દલીલો દ્વારા, રાજકીય રીતે પ્રેરિત માન્યતાને દૂર કરી છે કે, આરએસએસ એક ઉચ્ચ જાતિનું

સંગઠન છે.” તેમણે કહ્યું કે,” આરએસએસ સ્વયંસેવકો કટોકટીના સમયે રાષ્ટ્રની સેવા કરવા માટે સતત આગળ

આવ્યા છે, પછી ભલે તે ભૂકંપ, પૂર, દુષ્કાળ હોય કે

દેશભરમાં ટ્રેન અકસ્માતો હોય.”

સંગઠનની સફર પર પ્રતિબિંબ પાડતા રાજ્યપાલે સ્વીકાર્યું કે,”

આરએસએસ એ છેલ્લા 100 વર્ષમાં ઘણા

પડકારોનો સામનો કર્યો છે. છતાં, હજારો સ્વયંસેવકો અને પ્રચારકોના સમર્પણથી સંગઠન મજબૂત અને

ગતિશીલ રહ્યું છે. તેમણે પૂર્વોત્તર રાજ્યો અને દેશના બાકીના ભાગો વચ્ચે ભાવનાત્મક

એકીકરણને પ્રોત્સાહન આપવા બદલ આરએસએસ કાર્યકરોની પણ પ્રશંસા કરી.

રાજ્યપાલે કહ્યું કે,” વડાપ્રધાન

નરેન્દ્ર મોદી, આરએસએસદ્વારા પ્રેરિત નિઃસ્વાર્થ સેવાની ભાવનાનું ઉદાહરણ આપે છે.”

તેમણે કહ્યું કે,” વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે, તેના

નાગરિકોને મફત કોવિડ-19 રસીઓ જ નહીં

પરંતુ રસીની નિકાસ દ્વારા, અન્ય દેશોને પણ સહાય પૂરી પાડી છે.” પતંગેના મૂળ મરાઠી

પુસ્તક 'આમહી સંગઠન કા

આહોત?...' ના અનુવાદક ડૉ.

અશ્વિન રંજનીકર, રાજ્યપાલના સચિવ

ડૉ. પ્રશાંત નારનવારે અને આમંત્રિતો હાજર હતા. આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે 'સપ્તાહિક વિવેક' દ્વારા પુસ્તક

પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકની પ્રસ્તાવના આરએસએસ સરસંઘચાલક ડૉ.

મોહન ભાગવત દ્વારા લખાયેલ છે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande