લઘુમતી અનામતમાં વધારાને લઈને, ભાજપ કર્ણાટક પર હુમલાવર, કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતી માટે અનામત 10 થી 15 ટકા સુધી વધારવા બદલ, ભાજપ કર્ણાટક સરકાર પર હુમલો કરી રહી છે. શુક્રવારે ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ, કોંગ્રેસ પર હુમલો કર્યો અને તેને મુસ્લિમ લીગનું આધુ
લઘુમતી અનામતમાં વધારાને લઈને, ભાજપ કર્ણાટક પર હુમલાવર, કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતી માટે અનામત 10 થી 15 ટકા સુધી વધારવા

બદલ, ભાજપ કર્ણાટક સરકાર પર હુમલો કરી રહી છે. શુક્રવારે ભાજપના પ્રવક્તા

શહજાદ પૂનાવાલાએ, કોંગ્રેસ પર હુમલો કર્યો અને તેને મુસ્લિમ લીગનું આધુનિક સ્વરૂપ

ગણાવ્યું.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે,” કોંગ્રેસે

કહ્યું હતું કે, દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો અધિકાર છે. તેમણે એસસી, એસટી અને ઓબીસી અનામત છીનવી લીધી

છે અને ધાર્મિક ધોરણે મુસ્લિમ સમુદાયને ફાળવી દીધી છે. જે આંબેડકર અને

બંધારણની વિરુદ્ધ છે.”

શહજાદ પૂનાવાલાએ કહ્યું કે,” મુસ્લિમોને નાગરિક કરારમાં પણ

અનામત આપવામાં આવી છે, જે બંધારણીય

ભાવનાની વિરુદ્ધ છે. હવે,

તેઓ ફક્ત હિન્દુ

સમુદાયના ઘા પ,ર મીઠું ભભરાવવા માટે આ કરી રહ્યા છે. હિન્દુઓને તેમના માટે કોઈ મહત્વ

ધરાવતા નથી.”

તેમણે કહ્યું કે,” તેઓ નકલી જાતિ સર્વેક્ષણ કરે છે, જે તેમને પાછું

ખેંચવું પડશે. આમાં મુસ્લિમ વસ્તી વધુ દર્શાવવામાં આવી છે અને હવે તેઓ ફક્ત વોટ

બેંકના રાજકારણને કારણે, ધાર્મિક ધોરણે મુસ્લિમોને વધારાનો ક્વોટા આપી રહ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande