ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) નિયામક,આયુષની કચેરી અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. રસુલભાઈ. ડી. ઓઠાના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ, યોગ દિવસ અભિયાનની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયો હતો.
ઉમરેઠી આયુષ્યમાન આરોગ્ય મંદિર અને આંબળાશ તથા સરકારી હોમિયોપેથી દવાખાનું તાલાલા દ્વારા અગિયારમાં વિશ્વ યોગ દિવસ- ૨૧ જૂન ૨૦૨૫ ની ઉજવણી ના ભાગરૂપે વલ્લભાચાર્ય સ્કૂલમાં યોગ વિષયક ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયો હતો.
વિદ્યાર્થીઓએ યોગનું મહત્વ, યોગના ફાયદા અને યોગ કરવાથી તંદુરસ્તી અંગે વિવિધ ચિત્રના માધ્યમથી સંદેશો આપ્યો હતો. આ તકે શ્રેષ્ઠ ચિત્ર અને નિબંધને ઇનામ વિતરણ કરી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ