વેરાવળ ચોપાટી પર બહેનો દ્વારા યોગાભ્યાસ
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. ગીર
વેરાવળ ચોપાટી પર બહેનો દ્વારા યોગાભ્યાસ


ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.

ગીર સોમનાથમાં પણ વિવિધ સ્થળો પર તજજ્ઞો દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત યોગ બોર્ડના નિયમિત યોગ ક્લાસમાં જોડાતા બહેનો દ્વારા વેરાવળ ચોપાટી પર યોગ દ્વારા જાગૃતતા માટે બહેનો દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

બહેનો દ્વારા તાડાસન, નૌકાસન, વજ્રાસન, વૃક્ષાસન જેવા આસનોના માધ્યમ થકી યોગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચઓ/યોગ ટ્રેનરઓ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ ૨૧ જૂન સુધી વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande