નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) એરલાઇન કંપની ઈન્ડિગોએ, 20 જુલાઈથી
ગાઝિયાબાદના હિંડન એરપોર્ટથી દેશના આઠ શહેરો, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, ઈન્દોર, કલકતા, મુંબઈ, પટના અને વારાણસી માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવાની પુષ્ટિ
કરી છે.
ઈન્ડિગોએ શુક્રવારે 'એક્સ' પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” અમે
ઉત્તર પ્રદેશના હિંડોન એરપોર્ટથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરતા રોમાંચિત
છીએ. આનાથી અમારા ગ્રાહકો માટે હવાઈ મુસાફરીને વધુ સુલભ બનાવવાની અમારી
પ્રતિબદ્ધતા વધુ મજબૂત થશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના સતત માર્ગદર્શન
અને સમર્થન માટે અમે આભારી છીએ.”
કંપનીએ એક નિવેદનમાં લખ્યું છે કે,” 20 જુલાઈથી, અમે હિંડોન
એરપોર્ટથી ભારતના આઠ શહેરો,
અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, ઈન્દોર, કલકતા, મુંબઈ, પટના અને વારાણસી
માટે સીધી ફ્લાઇટ્સ ચલાવીશું. આ લોન્ચ સાથે, હિંડન અમારું 93મું સ્થાનિક સ્થળ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) માં અમને સેવા
આપતું બીજું એરપોર્ટ બની ગયું છે.”
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે,” આ પગલું મુસાફરો માટે હવાઈ
મુસાફરીને સરળ અને વધુ અનુકૂળ બનાવવા માટે, એરલાઇનના સતત પ્રયાસોને પ્રતિબિંબિત
કરે છે. આ વિસ્તરણથી પ્રાદેશિક કનેક્ટિવિટી વધશે અને એનસીઆરપ્રદેશ અને તેની
આસપાસના લોકો માટે ઝડપી મુસાફરી વિકલ્પો પૂરા પાડવામાં આવશે તેવી અપેક્ષા છે.”
ઉડ્ડયન કંપનીએ તેની ગો ઇન્ડિગો ન્યૂ ડેસ્ટિનેશન
પોસ્ટમાં લખ્યું છે કે,
અમારા નાગરિકોને, ભારત પાછા લાવવા માટે ઓપરેશન સિંધુમાં ભાગ લેવા બદલ અમને ખૂબ
જ સન્માનની લાગણી છે. અમે માયગોવઇંડિયા, વિદેશ મંત્રાલય, ભારત સરકાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન
નાયડુના આભારી છીએ કે, તેમણે અમને આ તક આપી. અમે દરેક ફ્લાઇટ દ્વારા શક્ય તેટલા
વધુ ભારતીય નાગરિકોને ઘરે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે, હિંડન એરપોર્ટ ઉત્તર પ્રદેશના
ગાઝિયાબાદમાં સ્થિત છે, જેમાં ઝડપથી
વિકાસશીલ વિસ્તાર છે. તે ઉદ્યોગો, નવા રહેણાંક પ્રોજેક્ટ્સ અને નોઇડા અને પૂર્વ દિલ્હીની
નિકટતા માટે જાણીતું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ