પશ્ચિમ બંગાળના પુરુલિયામાં માર્ગ અકસ્માત, નવ લોકોના મોત
પુરુલિયા, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). પશ્ચિમ બંગાળના પુરુલિયામાં બલરામપુર પોલીસ સ્ટેશન હેઠળના નામશોલ ગામમાં, આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ અકસ્માત જમશેદપુર-પુરુલિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 18 પર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર
માર્ગ અકસ્માત


પુરુલિયા, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). પશ્ચિમ બંગાળના પુરુલિયામાં બલરામપુર પોલીસ સ્ટેશન હેઠળના નામશોલ ગામમાં, આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ અકસ્માત જમશેદપુર-પુરુલિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 18 પર થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બલરામપુરથી આવી રહેલ એક ટ્રેલર અને વિરુદ્ધ દિશામાંથી આવતી બોલેરો સામસામે અથડાઈ હતી. જેના કારણે બંને વાહનો પલટી ગયા. સ્થાનિક લોકો અને બલરામપુર પોલીસે બોલેરોમાંથી લોહીલુહાણ હાલતમાં નવ લોકોને બહાર કાઢ્યા અને બ્લોક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ડોક્ટરે બધાને મૃત જાહેર કર્યા. તે બધા ઝારખંડના નિમડી વિસ્તારના રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઇવર અને હેલ્પર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. તેમની શોધખોળ ચાલી રહી છે. બોલેરોમાં સવાર લોકો ઝારખંડના નિમડી વિસ્તારથી લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પુરુલિયા આવ્યા હતા. તેઓ સમારોહ પછી નિમડી પરત ફરી રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ધનંજય પાંડે/સંતોષ માધુપ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande