પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ, રાષ્ટ્રપતિ મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 66મો જન્મદિવસ આજે સંપૂર્ણ આદર અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે, રાષ્ટ્રપતિને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને અન
સહીસહ


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 66મો જન્મદિવસ આજે

સંપૂર્ણ આદર અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે, રાષ્ટ્રપતિને

દેશભરમાંથી શુભેચ્છાઓ મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ

જગદીપ ધનખડ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી અને તેમની સેવા, સાદગી અને

પ્રેરણાદાયી નેતૃત્વની ભાવનાની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર એક અભિનંદન

સંદેશમાં લખ્યું, રાષ્ટ્રપતિને

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તેમનું જીવન અને નેતૃત્વ દેશભરના કરોડો લોકો માટે

પ્રેરણા સ્ત્રોત છે. જાહેર સેવા, સામાજિક ન્યાય અને સમાવેશી વિકાસ પ્રત્યેની તેમની અતૂટ

પ્રતિબદ્ધતા આપણા બધા માટે આશા અને શક્તિનો સ્ત્રોત છે. તેમણે હંમેશા ગરીબો અને

વંચિતોને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે,

તેઓ લાંબા અને સ્વસ્થ રહે અને દેશની સેવા કરતા રહે.

ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ મુર્મુને તેમના જન્મદિવસ પર

અભિનંદન આપ્યા અને તેમના જીવન સંઘર્ષ અને સેવાને સલામ કરી. તેમણે એક્સ પર લખ્યું, “ભારતના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને, જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. એક સાધારણ,

પૃષ્ઠભૂમિથી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધીની તેમની અસાધારણ સફર આપણા લોકશાહીની

સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમની જાહેર સેવાના દરેક તબક્કે

શ્રેષ્ઠતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે, પછી ભલે તે ધારાસભ્ય, રાજ્યપાલ અથવા હવે રાષ્ટ્રપતિ તરીકે હોય. આ એક અનુકરણીય

વારસો છે.”

ઉપરાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું હતું કે,” તેઓ એક દિવસ પહેલા

રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈને, રાષ્ટ્રપતિ મુર્મુને અભિનંદન પાઠવ્યા હતા.”

અન્ય નેતાઓએ પણ રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય

ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી

રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ જેપી

નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત, ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિને શુભેચ્છા

પાઠવી હતી. દરેક વ્યક્તિએ રાષ્ટ્રપતિની સાદગી, સમર્પણ અને સમાજના વંચિત વર્ગો માટે તેમના યોગદાનની પ્રશંસા

કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા

રાષ્ટ્રપતિ છે. તેમણે 25 જુલાઈ 2022 ના રોજ પદ

સંભાળ્યું હતું. તેઓ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે અને ઓડિશામાં ધારાસભ્ય અને

મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એક શિક્ષિકા અને એક સામાન્ય પરિવારની મહિલા

બનવાથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની, તેમની જીવનયાત્રા ભારતની લોકશાહી અને

સમાવેશકતાનું ઉદાહરણ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande