પોરબંદર, 20 જૂન (હિ.સ.) ગત તા. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફના 2 મિનિટ બાદ જ મેઘાણી નગર ખાતે ક્રેશ થયું હતું, જેમાં પ્લેનમાં સવાર 241 લોકોનું મૃત્યુ થયું હતું.
આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા ત્યારે તેમના મૃત્યુથી ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આવતી કાલે તા. 21 જૂનના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે 10 થી 11 શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya