પોરબંદર આઈ . ટી.આઈ ખાતે, યોગ શિબિર યોજાઈ.
પોરબંદર, 20 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના, ઠોયાણા દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આઈ. ટી.આઈ પોરબંદર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. મેડિક
પોરબંદર આઈ . ટી.આઈ ખાતે  યોગ શિબિર યોજાઈ.


પોરબંદર આઈ . ટી.આઈ ખાતે  યોગ શિબિર યોજાઈ.


પોરબંદર આઈ . ટી.આઈ ખાતે  યોગ શિબિર યોજાઈ.


પોરબંદર, 20 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના, ઠોયાણા દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આઈ. ટી.આઈ પોરબંદર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મેડિકલ ઓફિસર ડો.જયદીપ લાખાણી દ્વારા, અષ્ટાંગ યોગ (યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર, ધારણા, ધ્યાન,સમાધિ) અને તેમનું શારીરિક -માનસિક સ્વાસ્થ્યમાં મહત્વ, આસન -પ્રાણાયામ કયારે કરવા, કોને ન કરવા અને આસનના પ્રકારો, સૂક્ષ્મ વ્યાયામની મહત્વતા, સ્વસ્થના સ્વાસ્થ્યની જણવણી માટે જરૂરી દિનચર્યા, ઋતુચર્યા વગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

આગામી તા.21 જૂન યોગ દિવસની ઉજવણીના પ્રોટોકોલ મુજબ સરકારી આયુર્વેદ દવાખાનાના યોગ ઇન્સ્ટ્રક્ટર જીવાભાઈ ખૂંટી તથા ક્રિષ્નાબેન ગોહેલ દ્વારા, બાળકોને આસન પ્રાણાયામ,સૂક્ષ્મ વ્યાયામની તાલીમ આપવામાં આવી હતી. અને તમામ વિદ્યાર્થીઓ નિયમિત યોગ અભ્યાસ કરતા થાય અને પરિવારના અન્ય સભ્યોને પણ યોગ અભ્યાસ કરવા પ્રેરિત કરીએ તેવો સૌ સાથે મળીને સંકલ્પ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande