સુરત, 21 જૂન (હિ.સ.)- સુરતના ૬૫ વર્ષીય કાંતિભાઈ નિવૃત્ત જીવન જીવે છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી દૈનિક યોગ કરી ચિત્તને શાંત અને એકાગ્ર રાખે છે. તેઓ કહે છે મેડિટેશન મારા જીવનનો અગત્યનો ભાગ છે. હું રોજ સવારે અને રાત્રે મળીને દિવસના ૨ થી ૩ કલાક દૈનિક યોગ કરું છું. જેનો ધ્યેય આત્મા સાથે પરમાત્માનું મિલન છે. યોગથી તન અને મન પ્રત્યે સ્વજાગૃતતા વધે છે. આ યોગથી મારું મન હંમેશા શાંત અને ચિત્ત એકાગ્ર રહે છે. સાથે જ હું ધારેલું કાર્ય ખૂબ સરળતાથી કોઈ પણ ખલેલ વગર પૂર્ણ કરી શકું છું. તેઓ આજના બાળકોને ખાસ ધ્યાન કરવા કહે છે જેથી તેઓ ભણવા કે અન્ય કાર્યમાં એકાગ્ર બની ધ્યેય સિદ્ધિ કરી ચોક્કસથી સફળતા મેળવી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે