-ચોમાસામાં બદતર હાલત થઈ ગઈ છે લોકોને ચપ્પલ પણ હાથમાં લઈને મજબુરીએ ચાલીને જવું પડે છે
-બિમાર, સગર્ભા બહેનો અને વૃદ્ધો માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે
-હજારો ઢોર આ કાચા કીચડ વાળા રસ્તા ઉપરથી જતા આવતા હોય લોકોને હાલાકી
-છેલ્લા 15 વર્ષથી ટીડીઓ,મામલતદાર અને પંચાયતમાં અરજીઓ કરે પણ કોઈ સાંભળતું નથી
ભરૂચ 21 જૂન (હિ.સ.) વાલિયા તાલુકો વર્ષોથી પછાત છે અને રહેશે તેવા વાલિયા ગામના જ સીલુડી ત્રણ રસ્તા નજીક આવેલ ક્રિષ્ના નગર સોસાયટીના હાલ બે હાલ છે. ક્રિષ્ના નગર સોસાયટીમાં જવાનો રસ્તો આજદિન સુધી પાકો બનાવ્યો નથી ગટરની પણ સુવિધા નથી જેને લઇ આ ચોમાસામાં લોકોને ગોઠણ સમા કાદવ કિચડમાં જવા અને આવવા મજબૂર બન્યા છે .ઘણા વર્ષોથી અરજીઓ કરવા છતાં તેનું કઈ નિરાકરણ આવતું નથી .
વાલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગર સોસાયટીમાં આશરે 2000 ની વસ્તી છે પરંતુ અહીં સુવિધા ના નામે ગ્રામ પંચાયત દ્વારા કંઈ કામ નથી કર્યા તેવો સ્થાનિકોનો આક્ષેપ છે . ક્રિષ્ના નગર સોસાયટીમાં જવાનો રસ્તો પાકો ક્યારેય બનાવવામાં આવ્યો નથી જેને લીધે દર વખતે ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ કાચો રસ્તો કાદવ્યો બની જાય છે .આ રસ્તા ઉપર હજારો ઢોર આવન જાવન કરતાં તેના મળ અને મૂત્ર પણ રસ્તામાં પડી જતા ચીકણો થઈ જતા લોકો તેમાં લપસીને પડી રહ્યા છે .બાળકોને શાળાએ ટ્યુશન મૂકવા ચાલીને સોસાયટીના બહાર જવું પડે છે. ફોરવિલ વાહન તો ઠીક પણ બાઇક લઇને જઇ શકાતું નથી.બિમાર, સગર્ભા બહેનો અને વૃદ્ધો માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.બાજુના વિસ્તારમાં રસ્તા બની ગયા છે તેની મરામત પણ થાય છે જ્યારે અહીં તો રસ્તો જ નથી .આ ફળિયામાં ગટરની પણ સુવિધા નથી જેથી ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.આ ક્રિષ્ના નગરના સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ નહી આવે તો હવે આંદોલન કરી ધરણા પર બેસીને ન્યાય માંગીશું .
અમારા ક્રિષ્ના નગર સોસાયટીમાં વર્ષોથી રસ્તો ગ્રામ પંચાયતે બનાવ્યો નથી જેને લીધે દર ચોમાસે કાદવ કીચડ થઈ જાય છે તેમાંથી ચાલીને જવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે.અમે ગ્રામ પંચાયતને વેરા અને સરકારને ટેક્ષ પણ ચૂકવીએ છીએ તો કેમ અમારા ફળિયાનો વિકાસ કરાતો નથી.અમને રસ્તો અને ગટરની સુવિધા જોઈએ નહિતર અમે સંગઠિત થઈ આંદોલન અને ધરણા કરીશું .
15માં નાણાપંચમાં વિકાસના કામમાં ગટરનું કામ મંજૂર થયું છે સ્થાનિકોની માંગને લઈ ગટર ખોદી ભુંગળા નાખી વાટા પૂરી દીધા છે અને વરસાદ પડ્યો છે જેથી ત્યાં કાળી માટી હોવાથી પુરાણ કરવું શક્ય નથી .રસ્તો તો છે જ ઘણા બધા ઢોર આ રસ્તે નીકળતા હોય અને ઉકરડા હોય એટલે બગડે છે પુરાણ પણ કર્યું છે .તેમ છતાં કોઈને અગવડ પડતી હોય તો એ પ્રમાણે મટીરીયલ નાખી કરાવી દઈએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ