સિધ્ધપુર એપીએમસીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ૫૧૦૦ વૃક્ષો ના રોપાનું વિતરણ કરાયું
પાટણ, 21 જૂન (હિ.સ.)સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત ૨૦૨૫ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત સિધ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માઁ કે નામ ના પ્રોત્સાહનના ભાગરૂપે માન. કેબિનેટ મંત્રી બલવંતસિં
સિધ્ધપુર એપીએમસીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ૫૧૦૦ વૃક્ષો ના રોપાનું વિતરણ કરાયું


પાટણ, 21 જૂન (હિ.સ.)સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત ૨૦૨૫ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત સિધ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માઁ કે નામ ના પ્રોત્સાહનના ભાગરૂપે માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભહસ્તે ૫૧૦૦ વૃક્ષોના રોપાનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીને અકસ્માત વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,આપણા દેશમાં, આપણી સંસ્કૃતિ અને સભ્યતામાં અને આપણા પ્રાચીન સાહિત્યમાં પ્રકૃતિનુ મહિમાગાન કરવામાં આવ્યું છે, ત્યારે ભાવિ પેઢીની સુરક્ષા માટે દરેક વ્યક્તિએ એક વૃક્ષ અવશ્ય ઉછેરીને તેનું જતન કરવું જોઈએ આવો, વધુને વધુ વૃક્ષોના ઉછેર થકી ક્લીન-ગ્રીન ગુજરાત થકી ક્લીન-રાષ્ટ્ર ના નિર્માણમાં યોગદાન આપીએ.

આ પ્રસંગે અનિતાબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, રણજીતસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, એપીએમસીના ડિરેક્ટરશ્રીઓ તેમજ વેપારીઓ, સામાજિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande