પાટણ, 21 જૂન (હિ.સ.)કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોકુલ મધ્યસ્થ કાર્યાલય, સિધ્ધપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વિકસિત ભારત સંકલ્પ સભા” માં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના કાર્યો વર્ણવ્યા, સાથે ભારતના જાગૃત નાગરિક તરીકે વિકસિત ભારત ૨૦૪૭ માટે ઉપસ્થિત કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો...
આ પ્રસંગે મુખ્ય વક્તા ભરત બનાસકાંઠા જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, અનિતાબેન પટેલ, વક્તા - દિલીપભાઈ જોષી,
સંજયભાઈ પટેલ, દાદુજી ચાવડા, મનીષભાઈ આચાર્ય, કિરણભાઈ શાસ્ત્રી, ઉર્વેશભાઈ પંડ્યા, જશુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ ચૌધરી, કૌશલભાઈ જોષી, અભુજી ઠાકોર, શૈલેષભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, મનોજસિંહ ઝાલા, કમલેશભાઈ પટેલ, શૈલેષભાઈ પંચોલી, ભરતભાઈ મોદી, જયેશભાઈ પંડ્યા, નગરપાલિકા સદસ્યશ્રીઓ, શક્તિ કેન્દ્ર સંયોજકશ્રી, સક્રિય સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર