વરાછાના બિલ્ડર સાથે જમીનના ધંધામાં ભાગીદાર બનાવવાને બહાને રૂ,1.93 કરોડની ઠગાઈ
સુરત, 21 જૂન (હિ.સ.)-વરાછા રોડ હીરાબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડર પાસેથી રાજકોટ અને વેસુમાં જમીનના ધંધામાં ભાગીદાગ બનાવી ત્રણ માફિયાઓઍ ૧.૯૩ કરોડ પડાવી લીધા હતા. ત્યારબાદ બિલ્ડરનેï જમીનમાં રોકાણ કરેલા નાણાંની સામે ઍસબીઆઈ બેન્કમાં મોર્ગેજમાં મુકેલ કામરેજમ
વરાછાના બિલ્ડર સાથે જમીનના ધંધામાં ભાગીદાર બનાવવાને બહાને રૂ,1.93 કરોડની ઠગાઈ


સુરત, 21 જૂન (હિ.સ.)-વરાછા રોડ હીરાબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડર પાસેથી રાજકોટ અને વેસુમાં જમીનના ધંધામાં ભાગીદાગ બનાવી ત્રણ માફિયાઓઍ ૧.૯૩ કરોડ પડાવી લીધા હતા. ત્યારબાદ બિલ્ડરનેï જમીનમાં રોકાણ કરેલા નાણાંની સામે ઍસબીઆઈ બેન્કમાં મોર્ગેજમાં મુકેલ કામરેજમાં આવેલ ડીવાઈન હોમ્સનો પ્લોટ આપી છેતરપિંડી કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા રોડ, હીરાબાગ , જય ગંગેશ્વર સોસાયટીમાં રહેતા અને જમીન લે -વેચનુંï કામકાજ રમેશભાઈ મગનભાઈ રામાણી (ઉ.વ.૬૫)ઍ આરોપી ધનસુખભાઈ જયંતીભાઈ જાગાણી (રહે, શ્રધ્ધા રો હાઉસ, સરથાણા), અલ્પેશભાઈ ભીખાભાઈ માંગરોળીયા (રહે, શ્રધ્ધા રો હાઉસ, સરથાણા) અને વિપુલભાઈ કાનજીભાઈ વસાણી (રહે, મેધ મલ્હાર રેસીડેન્સી, સરથાણા) સાથે ડિસેમ્બર ૨૦૧૬માં ભાગીદારીમાં રાજકોટમાં ૨૧ કરોડની જમીન ખરીદી હતી જેમાં રમેશભાઈ રામાણી ૫ ટકા લેખે ૧,૦૭,૦૦,૦૦૦ અને જુન ૨૦૧૭માં વેસુ પીપલોદમાં જમીનમાં ૧૨.૫ ટકા લેખે ૭૫,૦૦,૦૦૦ રોકાણ કયું હતું આ ઉપરાંત આરોપીઅોઍ તેમની પાસેથી ૧૫,૦૦,૦૦૦ ઉછીના લીધા હતા.આમ આરોપીઓઍ કુલ રૂપિયા ૧,૯૩,૦૦,૦૦૦ લીધા હતા. આ તમામ પૈસાનો વહીવટ તેમજ મીટીંગ આરોપી વિપુલ વસાણીના સરથાણા બી.આર.ટી.ઍસ રોડ ગોલ્ડન ફાર્મમાં કરવામાં આવ્યો હતો. દરમિયાન રમેશભાઈઍ તેમની રાજકોટ અને વેસુની જમીનના દસ્તાવેજની માંગણી કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપવા લાગ્યા હતા. જેથી રમેશભાઈઍ તેમના રોકાણ કરેલા રૂપિયાની માંગણી કરતા આરોપીઓઍ રૂપિયાની સામે ઍસબીઆઈ બેન્કમાં મોર્ગેજમાં મુકેલ કામરેજના આવેલ ડિવાઈન હોમ્સનો પ્લોટ આપી રમેશભાઈના દીકરા તેજસભાઈ અને તુષારભાઈના નામે દસ્તાવેજ બના્વી આપ્યા હતા. તેમજ પ્લોટ ઉપર બાંધકામ કરી પૈસા ચુકવ્યા છે હોવાનો બાંધકામ કરાર બનાવી આપ્યો હતો જાકે બાંધકામ કરી આપ્યું ન હતુ.

આ દરમિયાન રમેશભાઈ રામાણીને ઍસબીઆઈ બેન્કમાંથી નોટિશ આવતા મિલ્કત મોર્ગેજમાં મુકી લોન લીધી હોવાનુ બહાર આવ્યું હતુ. બેન્કની નોટીશ અંગે રમેશભાઈઍ આારોપીઓને વાત કરતા બેન્કમાંથી ઍન.ઓ.સી આપવાની વાત કરી ઍન.ઓ.સી નહી આપી સમય પસાર કરી ગલ્લા તલ્લા કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે રમેશભાઈ રામાણીઍ ફરિયાદ નોîધાવતા સરથાણા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande