જુનાગઢ 21 જૂન (હિ.સ.) યોગ એ ભારતે આપેલ પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. હવે આપણને તેની જરૂર સમજાણી છે. તેથી સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું એવો થાય છે. યોગ એ શરીર અને આત્મા જોડાણનો પ્રતિક છે. યોગએ આધ્યાત્મિક શિસ્ત અને કસરત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.
યોગએ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે જેને આપણે પુનર્જીવિત કરવાની જરૂર છે.. આપણા વિવિધ યોગીઓ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.
ડો. સુભાષ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે તા. ૨૧-૦૬-૨૦૨૫ના રોજ વહેલી સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. બલરામ ચાવડા એ ઉપસ્થિત મહેમાનોને આવકારી, યથોચિત સન્માન કરી પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે યોગ માણસના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણી માનસિક અને શારીરિક વ્યાધિનો ઉપાય યોગમાં જ છે.
ડૉ.હીરાબહેન રાજ્વાની દ્વારા આધુનિક સમયમાં યોગનું મહત્વ કેવું રહ્યું છે એના વિશે પ્રવચન આપી, ડેમોસ્ટ્રેશન બતાવી તમામ વિદ્યાર્થીની બહેનોને યોગના આસનો થી પરિચિત કરાવ્યા હતા યોગદિવસ યોજવા બદલ કોલેજના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને મિતાબેન ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ યોગ શિબિરનું સુચારૂ સંચાલન ડો.વજશી ગોજીયાએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ