પાટણ, 21 જૂન (હિ.સ.)સાંતલપુર સ્થિત સરકારી વિનયન કૉલેજમાં 21 જૂન, 2025ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના મેદાનમાં સવારે 7 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો અને તેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
કાર્યક્રમમાં અંગ્રેજી વિષયના અધ્યાપક ડૉ. ચેતન પ્રજાપતિએ યોગાભ્યાસનું માર્ગદર્શન આપ્યું હતું. સહભાગીઓએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન જેવી શારીરિક અને માનસિક આરોગ્યદાયી પ્રવૃત્તિઓ શિસ્તબદ્ધ રીતે કરી.
કૉલેજના આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરે યોગના વૈજ્ઞાનિક અને ધાર્મિક પાસાઓ સાથે તેના માનસિક-શારીરિક લાભો વિશે ચર્ચા કરી. ઈતિહાસના ડૉ. બ્રિજેશભાઈ પુરોહિત, સંસ્કૃતના પ્રોફે. સુદાભાઈ કટારા, લેબ આસિસ્ટન્ટ શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત કોલેજ સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ આવી છે અને તેમને યોગને રોજિંદા જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર