પોરબંદર, 21 જૂન (હિ.સ.) : ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 તા.29/05/2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે, જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.22/06/2025 ના રોજ મતદાન થનાર છે તેમજ તા.25/06/2025ના રોજ મતગણતરી થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.28/05/2025ના રોજ કરવામાં આવેલ છે. ત્યાંરથી પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.
રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોનીસામાન્ય,વિભાજન,
મધ્યસત્ર,પેટા ચૂંટણીઓ-2025 ના કામે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફીસરઓની ટીમના વડા પૈકી જે અધિકારી,કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી. તેમને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે નિયુકત કરેલ ઝોનલ ઓફીસરઓને (સેક્ટર ઓફિસર) ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો આપવા દરખાસ્ત કરવામાં આવી હતી.જે અન્વયે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-20/3 ની કલમ-15 હેઠળ ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયુકત કરેલ પરિશિષ્ટ-1 અને પરિશિષ્ટ-2 મુજબના ઝોનલ ઓફીસરઓને(સેક્ટર ઓફિસર) તેમની નિમણૂંકના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ- 2025 ની પ્રક્રિયા માટે તા.20/06/2025 થી તા.22/06/2025 અન્યથા પુનઃ મતદાન જાહેર થાય તો. પુનઃમતદાનની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત મતદાન મથકોના ઝોનલ ઓફિસરો (સેક્ટર ઓફિસર)ઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ-41, 108, 109, 148 તથા 163 મુજબના ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે અધિકારો એનાયત કરવામાં આવ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya