પ્રધાનમંત્રી મોદી અને ભાજપે, શ્યામા પ્રસાદ મુખર્જીને નમન કર્યા
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). આજે ભારતીય જન સંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર યાદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને
શ્યામા પ્રસાદ મુખર્જી


નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). આજે ભારતીય જન સંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર યાદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ડૉ. મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર કોટો કોટી નમન. તેમણે દેશની અખંડિતતાને અકબંધ રાખવા માટે અજોડ હિંમત અને પુરુષાર્થ નો પરિચય આપ્યો. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને હંમેશા શ્રદ્ધા પૂર્વક યાદ કરવામાં આવશે.

આ ઉપરાંત, ભારતીય જન સંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મુખ્યાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય લોકોએ ડૉ. મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.

નડ્ડાએ કહ્યું, આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર, અમારા કાર્યકરો તેમની યાદમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય પ્રતિભા ધરાવતા માણસ હતા. ભાજપે ડૉ. મુખર્જીને તેના એક્સ હેન્ડલ પર યાદ કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande