નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે કહ્યું કે,”
વિશ્વ જળવાયું પરિવર્તનના સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિરતા હવે સૂત્ર નથી, તે એક જરૂરિયાત
બની ગઈ છે. ભારતમાં એકાઉન્ટિંગનો ઇતિહાસ લાંબો છે. એકાઉન્ટિંગ અને જવાબદારી એકબીજા
સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.”
રાષ્ટ્રપતિ સચિવાલયના એક નિવેદન અનુસાર,”રાષ્ટ્રપતિ
મુર્મુએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ
ઇન્ડિયાના 12મા રાષ્ટ્રીય
વિદ્યાર્થી દિક્ષાંત સમારોહને, સંબોધતા આ વાત કહી હતી.” રાષ્ટ્રપતિએ કહ્યું કે,”
આપણા ઇતિહાસમાં એકાઉન્ટિંગ અને જવાબદારી વચ્ચેના ગાઢ સંબંધને કારણે, એકાઉન્ટન્ટ્સ
સમાજમાં ઉચ્ચ સન્માન મેળવે છે. અમે જવાબદારીને મહત્વ આપીએ છીએ, તેથી અમે
એકાઉન્ટિંગને વિશેષ મહત્વ આપીએ છીએ.”
તેમણે કહ્યું કે,” આધુનિક સમયમાં આ સમૃદ્ધ વારસો અન્ય
સંસ્થાઓ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આગળ
ધપાવવામાં આવી રહ્યો છે. આ સંસ્થાની સ્થાપના 1944માં દેશમાં કોસ્ટ અને મેનેજમેન્ટ
એકાઉન્ટન્ટ્સના નિયમન અને વિકાસ માટે કરવામાં આવી હતી અને સ્વતંત્રતા પછી તેણે
માત્ર આર્થિક પરિવર્તન જ નહીં, પણ ભારતીય અર્થતંત્રને આજે વિશ્વની સૌથી મજબૂત
અર્થવ્યવસ્થાઓમાંની, એક બનાવવામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
તેમણે કહ્યું કે,” ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ
ઇન્ડિયા દેશની પ્રગતિમાં ભાગીદાર રહી છે. તે નીતિ નિર્માતાઓ, કેન્દ્ર અને
રાજ્ય સરકારો તેમજ વિવિધ સંસ્થાઓને ખર્ચ-કાર્યક્ષમ વ્યૂહરચનાઓ, સિસ્ટમો
વિકસાવવામાં ખૂબ જ મૂલ્યવાન સહાય પૂરી પાડે છે અને આ સંસ્થાએ ફેક્ટરીઓમાં કોસ્ટ
એકાઉન્ટિંગથી લઈને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સુધી તેનું કાર્ય વધતું જોયું છે.”
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” વિશ્વ જળવાયું પરિવર્તનનો સામનો કરી રહ્યું છે અને સ્થિરતા
હવે એક જરૂરિયાત બની ગઈ છે.”
તેમણે કહ્યું કે,” હવે કોર્પોરેટ સંસ્થાઓએ ફક્ત નફાના હેતુ
માટે કામ કરવા ઉપરાંત પર્યાવરણના ખર્ચને ધ્યાનમાં રાખવું પડશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ
કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા તેની કુશળતાથી આ દિશામાં મોટો ફેરફાર લાવી શકે છે.”
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને કહ્યું કે,” તેમની જવાબદારીઓ નાણાકીય હિસાબથી આગળ વધે
છે અને કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે તેઓ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં, યોગદાન આપવા માટે એક
અનોખી સ્થિતિમાં છે.” રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,” સંસ્થા દ્વારા
આપવામાં આવતું શિક્ષણ વિદ્યાર્થીઓને માત્ર સફળ વ્યાવસાયિકો જ નહીં, પરંતુ
રાષ્ટ્રનિર્માતા પણ બનાવશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ