ગાંધી-નારાયણ ગુરુ સંવાદના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન, પ્રધાનમંત્રી મોદી કરશે
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મંગળવારે (24 જૂન) સવારે 11 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક સંવાદના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ ઐતિ
પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મંગળવારે (24 જૂન) સવારે 11 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક સંવાદના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

આ ઐતિહાસિક સંવાદ 12 માર્ચ, 1925 ના રોજ મહાત્મા ગાંધીની શિવગિરિ મઠની મુલાકાત દરમિયાન થયો હતો. આ વાતચીત વૈકોમ સત્યાગ્રહ, ધર્માંતરણ, અહિંસા, અસ્પૃશ્યતા નાબૂદી, મુક્તિની પ્રાપ્તિ અને દલિતોના ઉત્થાન જેવા વિષયો પર કેન્દ્રિત હતી.

શ્રી નારાયણ ધર્મ સંગમ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહમાં, વિવિધ આધ્યાત્મિક નેતાઓ અને દેશના અન્ય સભ્યો એકઠા થશે, જેથી ભારતની સામાજિક અને નૈતિક ચેતનાને આકાર આપી રહેલા સ્વપ્નદ્રષ્ટા સંવાદને યાદ કરી શકાય અને તેનું સન્માન કરી શકાય. આ કાર્યક્રમ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરાયેલ સામાજિક ન્યાય, એકતા અને આધ્યાત્મિક સુમેળના સહિયારા દ્રષ્ટિકોણને એક શક્તિશાળી શ્રદ્ધાંજલિ છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande