-ચિલીનું
પ્રતિનિધિમંડળ એચસીએલના વિવિધ એકમોની મુલાકાત લેશે
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) ચિલીની સરકારી માલિકીની કોપર ખાણકામ કંપની કોર્પોરેશનોસિઓન
નેસિઓનલ ડેલ કોબ્રે (કોડેલ્કો) નું એક પ્રતિનિધિમંડળ સોમવારે સવારે નવી દિલ્હી
પહોંચ્યું. ચિલીના ખાણકામ નિષ્ણાતોની આ ટીમ આગામી ત્રણ અઠવાડિયા સુધી, ભારતમાં
રહેશે અને હિન્દુસ્તાન કોપર લિમિટેડ (એચસીએલ) ના વિવિધ એકમોની મુલાકાત લેશે.
કોડેલ્કોના ખાણકામ નિષ્ણાતોમાં એન્જેલો જીયોવાની ગ્યુંસેપ એગુઈલર
કેટલાનો-જીઓલોજી એન્ડ એક્સપ્લોરેશન, જોસ રામોમ અબાટે પેરેઝ-ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, કાર્લોસ
એબેલાર્ડો વિલ્ચેસ ડોનોસો-ટેલિંગ મેનેજમેન્ટ, જોર્જ લુઇસ એસ્પિન્ડોલા લાન્ડા-જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને
સર્જીયો જોનાથન પિચોટ હેરીકેઝ-જીઓમેટાલર્જીનો સમાવેશ થાય છે. એચસીએલના જણાવ્યા અનુસાર, તેમની ત્રણ
અઠવાડિયાની મુલાકાતનો હેતુ, જ્ઞાન શેર કરવાનો અને મૂલ્યવર્ધનની તકોનું અન્વેષણ
કરવાનો છે.
ખાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી અને ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની હાજરીમાં, 01 એપ્રિલના રોજ એચસીએલઅને કોડેલ્કો
વચ્ચે થયેલા ઐતિહાસિક સમજૂતી કરાર (એમઓયુ) પછી, આ પહેલ કરવામાં આવી છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય શોધ, ખાણકામ અને ખનિજ
લાભ તેમજ કર્મચારીઓને તાલીમ અને ક્ષમતા નિર્માણને સરળ બનાવવા માટે જ્ઞાન અને
શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરવાનો છે. આ એમઓયુપર એચસીએલના ચેરમેન
અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમાર સિંહ અને કોડેલ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
રુબેન અલ્વારાડો વિગર દ્વારા, હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ