દાહોદ જિલ્લામાં ભાજપ દ્વારા કોંગ્રેસે દેશ ઉપર કટોકટી લાદી હતી તે 25 જુન 1975 ને સંવિધાન હત્યા દિવસ તરીકે ગણાવી આજે સેમિનાર નું આયોજન કરાયું
દાહોદના સાંસદ જાવંતસિંહ, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર રહ્યા ઉપસ્થિત
દાહોદ સંવિધાન હત્યા દિવસ સેમિનાર


દાહોદ, 25 જૂન (હિ.સ.) દાહોદ જિલ્લામાં ભાજપ દ્વારા કોંગ્રેસે દેશ ઉપર કટોકટી લાદી હતી તે 25 જુન 1975 ને સંવિધાન હત્યા દિવસ તરીકે ગણાવી આજે સેમિનાર નું આયોજન કર્યું હતું.

દાહોદ જિલ્લામાં ભાજપ દ્વારા કોંગ્રેસે દેશ ઉપર કટોકટી લાદી હતી તે 25 જુન 1975 ને સંવિધાન હત્યા દિવસ તરીકે ગણાવી આજે સેમિનાર નું આયોજન દાહોદ કમલમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ ના વક્તા રાકેશ શાહ, સાંસદ જસવંતસિંહ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયા અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાકેશ શાહ એ જણાવ્યું હતું કે આ રાષ્ટ્ર ને વૈભવ તરફ લઈ જવાનુ કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે 1947 થી 1975 સુધી કોંગ્રેસ એ જે પ્રમાણે શાશન કર્યું હતું જેનાથી લોકો ખુબ નારાજ હતા 71 ની ચૂંટણી ખોટી હતી તે કોર્ટે 74મા નિર્ણય આવ્યો હતો અને આંદોલનો થી પોતાનો વિરોધ થાતો જોઈએ તેમજ પોતાની સત્તા જતી જોઈ ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975 ના રોજ કટોકટી લાદી હતી અને તે સમય ગાળામાં જે ત્રાસ લોકો ને નેતાઓને અને મીડિયા ઉપર ગુજાર્યો હતો તેના કારણે ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃતવમા કોંગ્રેસ દ્વારા દેશ ઉપર લાદવામાં આવેલ કટોકટીના દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે મને છે અને સમગ્ર દેશમાં આ દિવસે ભાજપ આ અંગે સેમિનાર યોજી આ કોંગ્રેસની વરવી માનસિકતા ને કૃત્યો ને લોકો સુધી પહોંચાડી લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે.આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ કાર્યકર્તા અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande