વેરાવળ વિદ્યાર્થી તરીકે કારકિર્દી સાથે થયેલાં ખીલવાડને કદાપિ ભૂલી શકાશે નહીં: તુલસીકુમાર શર્મા
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) : ઈતિહાસની તવારીખમાં વર્ષ ૧૯૭૫માં તત્કાલિન સરકાર દ્વારા ૨૫મી જૂને દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. વર્તમાન કેન્દ્ર સરકારે કટોકટીના કાળા દિવસને પ્રતિવર્ષ ૨૫ જૂને ''સંવિધાન હત્યા દિવસ'' તરીકે ઓળખવાની જાહેરાત કરી છે. આ દિવસ
વિદ્યાર્થી તરીકે કારકિર્દી


ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) : ઈતિહાસની તવારીખમાં વર્ષ ૧૯૭૫માં તત્કાલિન સરકાર દ્વારા ૨૫મી જૂને દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. વર્તમાન કેન્દ્ર સરકારે કટોકટીના કાળા દિવસને પ્રતિવર્ષ ૨૫ જૂને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઓળખવાની જાહેરાત કરી છે.

આ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલાં તુલસીકુમાર શર્માએ કટોકટીકાળની વેદનાને તો વ્યક્ત કરી જ હતી પરંતુ આ વેદનાનો ભોગ પોતે અને પોતાનો પરિવાર કેવી રીતે બન્યો હતો તેની કથની પણ રજૂ કરી હતી.

તુલસીકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આ કટોકટીકાળ દરમિયાન હું ચોથા ધોરણમાં અને મારી બે બહેનો છઠ્ઠાં ધોરણમાં ભણતી હતી. અમને ત્રણેયને આ સમયે એક જ ધોરણમાં બબ્બે વર્ષ સુધી નાપાસ કરીને રાખવામાં આવ્યાં હતાં. આ માટેનું કારણ એવું હતું કે, મારા પિતાશ્રી એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું શિક્ષણ આપતાં હતાં. જે તત્કાલીન સરકારથી સહન થયું નહીં અને મારા પિતાશ્રીની પણ બદલી કરી દેવામાં આવી, સાથે-સાથે વિદ્યાર્થી તરીકે નાપાસ કરીને અમને પણ માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવ્યાં જેની વેદના આજે પણ ભૂલી શકાતી નથી.

તેમણે જણાવ્યું કે, જીવનના મહત્વપૂર્ણ બે વર્ષ વેડફાઈ જાય તો તેનાથી જીવનમાં કેટલું નુકસાન થાય તે આજે સમજાય છે. અત્યારે હું કાયદા નિષ્ણાંત તરીકે કાયદાની કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. ત્યારે પ્રમોશન સહિતના લાભોમાં કેટલું નુકસાન થાય છે, તે આજે સમજાય છે.

તેમણે પોતાની વેદના અને સામાજિક કલંકને વ્યથા સાથે રજૂ કરતાં જણાવ્યું કે, કાયદાનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે અને લોકશાહીના સંવર્ધન માટે થવો જોઈએ પરંતુ જ્યારે કાયદાના ઓઠાં હેઠળ તેનો દુરુપયોગ થાય ત્યારે તેના કેવા દુષ્પરિણામો આવે છે. તેનો ભોગ હું અને મારો પરિવાર બન્યો હતો. અને આજે પણ એ વરવી સ્થિતિને ભૂલવી મારા માટે બહુ મુશ્કેલ છે.

તેમણે લોકશાહી એ આપેલા બંધારણીય અધિકારો વિશે આજની નવી પેઢી જાગૃત બને તે માટે આજની બંધારણ હત્યા દિવસની ઉજવણી ઉપયુક્ત છે. આવી ઉજવણીથી લોકશાહી પ્રત્યેની સમાજની શ્રદ્ધા વધુ બળવત્તર બનશે. એમ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande