ગીર સોમનાથ, 25 જૂન (હિ.સ.)
દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂન ૨૦૨પ દરમિયાન પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા, તાલાલા આ છ તાલુકાઓની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી થશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાં કુલ-૬૪ રૂટ બનાવવામાં આવ્યાં છે. જેમાં ૫૪૨ પ્રાથમિક શાળાઓ તેમજ ૧૧૮ માધ્યમિક શાળાઓનો રૂટમાં સમાવેશ કરાયો છે.
અંદાજિત પ્રવેશપાત્ર બાળકોમાં બાલવાટિકામાં ૧૧,૮૨૧, ધો.૧માં ૧૦,૮૪૨ અને ધો.૯માં ૯,૨૫૭ બાળકોનો સમાવેશ થશે.
આ કાર્યક્રમમાં જિલ્લાની આંગણવાડીમાં, બાલવાટિકામાં અને ધો.૧માં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રાથમિક શાળાઓમાં તેમજ ધો.૯ માં પ્રવેશ મેળવનાર બાળકોને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ આપવા માટેના કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યઓ, સચિવઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારઓ ઉપસ્થિત રહેશે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટર ડો.એન વી ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ પી.ભાપકરની પ્રેરણાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન તેમજ જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેળવણી નિરીક્ષક બી.આર.સી.– સી.આર.સી. કૉ.ઓર્ડીનેટર, મુખ્ય શિક્ષકોને કાર્યક્રમની સંપૂર્ણ માહિતીથી સજ્જ કરવામાં આવ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ