જૂનાગઢ- જિલ્લા પશુપાલન ખાતાની વર્ષાઋતુ વર્ષ ૨૦૨૫- ૨૬ ની ડિઝાસ્ટર ઈમરજન્સી અન્વયે આગોતરું આયોજન
જૂનાગઢ 25 જૂન (હિ.સ.) વર્ષાઋતુ વર્ષ ૨૦૨૫- ૨૬ દરમિયાન અતિવૃષ્ટિ, વાવાઝોડું, પુર, ભુકંપ જેવી કુદરતી આફતોના સમયમાં જિલ્લાના પશુધનના આરોગ્ય જાળવણી, રોગચાળા નિયંત્રણ અને પશુ ઉત્પાદનની જાળવણી માટે પશુપાલન વિભાગ ગાંધીનગર, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અ
જૂનાગઢ- જિલ્લા પશુપાલન ખાતાની વર્ષાઋતુ વર્ષ ૨૦૨૫- ૨૬ ની ડિઝાસ્ટર ઈમરજન્સી અન્વયે આગોતરું આયોજન


જૂનાગઢ 25 જૂન (હિ.સ.) વર્ષાઋતુ વર્ષ ૨૦૨૫- ૨૬ દરમિયાન અતિવૃષ્ટિ, વાવાઝોડું, પુર, ભુકંપ જેવી કુદરતી આફતોના સમયમાં જિલ્લાના પશુધનના આરોગ્ય જાળવણી, રોગચાળા નિયંત્રણ અને પશુ ઉત્પાદનની જાળવણી માટે પશુપાલન વિભાગ ગાંધીનગર, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સુચનાથી પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા કચેરીના ફોન નં.- ઈ.મેઈલ જિલ્લા કક્ષાની કચેરી તેમજ તાલુકાની તમામ ક્ષેત્રીય કચેરીઓના અને અધિકારીશ્રીઓના ટેલિફોન ચાલુ રહે તે માટે સબંધિત ટેલીફોનની વિભાગીય કચેરીને જાણ કરવી, જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ ચાલુ કરવા તેમજ તાલુકા અને જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં રહી કામગીરી હાથ ધરવામાં આવશે.

કુદરતી આપતિના સમયે ફાટી નિકળતા પશુઓના સામાન્ય ચેપી રોગચાળાના નિયંત્રણ માટે જરુરી તમામ વેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવો અને ગળસુંઢા જેવા રોગના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરી સંભવિત વિસ્તારમાં તેમજ ધેડ વિસ્તારમાં રસીકરણની કામગીરી હાથ ધરવી.

આપતિના સમયે કામગીરી હાથ ધરવા જિલ્લાના તમામ તાલુકામાં કામગીરીની ફરજ સોંપણી કરવામાં આવેલ છે. જેમાં તાલુકાના પશુચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ, ગોપાલ મિત્રો અને મૈત્રીના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ દરેક તાલુકા દીઠ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીશ્રીઓને લાયઝન અધિકારીશ્રી તરીકે જવાબદારીઓ સોંપી કુલ ૧૮ જેટલી ટીમોની રચના કરવામાં આવેલ છે. જેમાં કુલ ૭૬ કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓનો સમાવેશ થાય છે.

આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં જિલ્લાના ચોમાસા ઋતુમાં સહેલાઇથી સંપર્ક ન થઈ શકે તેવા ગામોના પશુઓને ગળસુંઢો, એન્ટેરો ટોક્ષેમીયા જેવા સંભવિત રોગો સામે રસીકરણથી કુલ ૪૨૦૦૦ જેટલા પશુઓને આવરી લીધા છે.

જિલ્લાના તમામ પશુ દવાખાના ખાતે જરૂરી રસી તથા દવાઓ અને સાધનોનો જથ્થો પુરતા પ્રમાણમાં રાખવામાં આવેલ છે અને કુદરતી આપતિના સંજોગોમાં પશુઓને નુકસાન અંગે જાણ થાય કે તુરંત જ તે ગામની મુલાકાત લઈ પશુ બીમારીનું નિદાન કરી સારવાર કરવા સુચના આપવામાં આવેલ છે.

આપતિના સમયે પશુઓના જોવા મળતા રોગોના નિદાન માટે મૃત પશુઓ કે બીમાર પશુઓના જરૂરી નમુનાઓ મેળવી જિલ્લાની પશુરોગ સંશોધન એકમ ખાતે મોકલી રોગનું નિદાન કરી જરૂરી રસીકરણ તેમજ સારવારની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જો જરૂર જણાય તો પશુરોગ સંશોધન એકમ જે તે વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ રોગ નિદાન માટેના જરૂરી નમુનાઓ મેળવી, રોગનું પરિક્ષણ હાથ ધરશે અને રોગના નિયંત્રણ માટે જરુરી માર્ગદર્શન આપશે.

આકસ્મિક આફતોના નિવારણ માટે મહેસુલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરશ્રીની કચેરીની આપતિ નિવારણ સેલના સંપર્કમાં રહીને તેઓને માહિતી પુરી પાડવી તેમજ તેમના સંકલમાં રહી કામગીરી હાથ ધરવામાં આવશે.

કુદરતી આપતિમાં મરણ પામેલ પશુઓના મૃતદેહના નિકાલની કામગીરી પંચાયત અધિનિયમ મુજબ જે તે ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગર પાલિકાની હોય, તેમના સાથે પશુપાલનની ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે જરૂરી તાંત્રિક માર્ગદર્શન પુરું પાડશે.

પશુપાલન ખાતાની તમામ કચેરીઓના તમામ વાહનો ચાલુ હાલતમાં હોય, તે પ્રમાણે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવેલ છે. પુર, અતિવૃષ્ટિ, વાવાઝોડાના સમયે પશુપાલકોને જરુરી સુચનાઓ જેવી કે, તેમના પશુઓને સાંકળ/ દોરીથી ખીલે ન બાંધવા અને સલામત સ્થળે પશુઓને ખસેડવા પ્રચાર માધ્યમોથી જાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

આપતિની પરિસ્થિતિમાં પશુઓને ઓછામાં ઓછું નુકશાન થાય અને અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક રાહત પહોંચાડવા રોગ નિયંત્રણની કામગીરી જેવા પગલાં તુરંત જ લેવામાં આવે તે માટે જિલ્લાના તમામ સ્ટાફ, રાજય કક્ષાના તથા પંચાયત કક્ષાના સ્ટાફ સાથે એક ટીમ વર્ક તરીકે કામ કરે તે માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી માટે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ, સ્વંયસેવકો વગેરીની મદદ લઈ કુદરતી આફતોમાં આવી પડતી વિપતિમાં પશુઓ તથા પશુપાલકોને વધુમાં વધુ મદદ કરી તુરંત જ રાહત પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે. ઉપરાંત વર્ષાઋતુ દરમિયાન કુદરતી આફતોના સમયમાં જિલ્લાના પશુપાલકોને નજીકના પશુ દવાખાનો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande