જૂનાગઢમાં નાગરિકો કિચન ગાર્ડન બનાવવા માટે, વિવિધ શાકભાજીના બિયારણો રાહત દરે મેળવી શકશે
જૂનાગઢ 25 જૂન (હિ.સ.) જિલ્લામાં વર્ષાઋતુમાં શહેરીજનો પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વિવિધ શાકભાજી બિયારણ જેવા કે ભીંડા, ગુવાર, ચોળી, દુધી, તુરીયા, ગલકા, કાકડી, રીંગણ વિગેરે અને ખાતરના પેકેટ બનાવીને “
જૂનાગઢમાં નાગરિકો કિચન ગાર્ડન બનાવવા માટે, વિવિધ શાકભાજીના બિયારણો રાહત દરે મેળવી શકશે


જૂનાગઢ 25 જૂન (હિ.સ.) જિલ્લામાં વર્ષાઋતુમાં શહેરીજનો પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વિવિધ શાકભાજી બિયારણ જેવા કે ભીંડા, ગુવાર, ચોળી, દુધી, તુરીયા, ગલકા, કાકડી, રીંગણ વિગેરે અને ખાતરના પેકેટ બનાવીને “નહિ નફો નહિ નુકસાન” ના ધોરણે વેચાણ કરવામાં આવે છે.

આ ઉપરાંત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે શહેરીજનોને કિચન ગાર્ડન અંગે જરૂરી તાંત્રિક માર્ગદર્શન અને એક દિવસીય તાલીમ પણ આપવામાં આવે છે. શાકભાજી બિયારણ અને ખાતરનું વેચાણ નાયબ બાગાયત નિયામકની કચેરી, નીલમ બાગ, લધુ કૃષિ ભવન, બહુમાળી ભવનની સામે, જુનાગઢ ખાતે કરવામાં આવે છે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે કચેરીના ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande