જૂનાગઢ 25 જૂન (હિ.સ.) સવારે ૦૯-૩૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે “સંવિધાન હત્યા દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત આ કાર્યક્રમ ભારતીય કટોકટીનો કાળો અધ્યાય કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે યોજાઇ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ