વાપીમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસની ઉજવણી
વલસાડ, 25 જૂન (હિ.સ.)- દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025 નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટેનો કાર્યક્રમ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા. 25 જૂને બુધવારે વા
Valsad


વલસાડ, 25 જૂન (હિ.સ.)- દેશમાં કટોકટી

લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025 નિમિત્તે સંવિધાન

અને લોકશાહીના મૂલ્યોના જતન માટેનો કાર્યક્રમ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના

સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા. 25 જૂને બુધવારે વાપીના નામધા ખાતે

રોફેલ કોલેજના કેમ્પસમાં પદ્મભૂષણશ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો.

નવી પેઢીના યુવાનોને આજથી 50 વર્ષ પૂર્વે લાદવામાં આવેલી કટોકટી

(ઈમરજન્સી) વિશે ખ્યાલ આવે અને દેશના ઈતિહાસના કાળા દિવસને જાણી શકે તે માટે

દેશભરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી થઈ હતી. જે અનુસંધાને વાપી ખાતે જિલ્લા

કક્ષાની ઉજવણીમાં યુવા પેઢીને સંબોધિત કરતા સાંસદશ્રીએ જણાવ્યું કે, તા. 25 જૂન 1975 ના દિવસે ભારતીય લોકતંત્રનો કાળો

અધ્યાય લખાયો હતો. અત્યારે આપણા દેશમાં મજબૂત લોકતંત્ર છે. દરેક લોકો પોતાનો અવાજ

સ્વતંત્રતાથી ઉઠાવી શકે છે પરંતુ 50 વર્ષ પહેલા આ શક્ય ન હતું. તે સમયના તત્કાલિન

વડાપ્રધાનશ્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિ હોવાનું કારણ આપી ઈમરજન્સી લાદી

હતી. તે સમયે દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સહિતના પ્રશ્નો ઉભા થયા હતા.

દેશભરમાં ઈન્દિરા સરકાર સામે ગુસ્સાનો માહોલ હતો. જે પણ અન્યાય સામે પોતાનો અવાજ

ઉઠાવતા હતા તેવા રાજકીય, સામાજિક આગેવાનો અને

પત્રકારો મળી અનેક લોકોને મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ (મીસા) લાગુ કરી

જેલમાં પુરી દીધા હતા. મીડિયા સરકારની આલોચના પણ કરી શકતી ન હતી. સરકાર વિરૂધ્ધ

લખવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

વધુમાં તેમણે

જણાવ્યું કે, ઈમરજન્સી સમયે જે

લોકો જેલમાં બંધ હતા તેમના પરિવારમાં કોઈનું મૃત્યુ થતુ તો તેમને બહાર પણ નીકળવા

દેવામાં આવ્યા ન હતા. આવા સમયે લડતમાં વલસાડ જિલ્લો પણ બાકી રહ્યો ન હતો. તે સમયના 16 જેટલા નેતાઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યુ હતું. બાહોશી અને હિમંતથી કટોકટી સમયે

લડેલા આ લડવૈયા દેશ માટે પ્રેરણારૂપ છે.

સાંસદએ વધુમાં

જણાવ્યું કે, તે સમયે ‘‘ઈન્દિરા

એટલે ઈન્ડિયા અને ઈન્ડિયા એટલે ઈન્દિરા’’. માત્ર એક જ વ્યકિત દેશમાં સર્વોપરી હતી.

જયારે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌને સાથે લઈ સૌનો વિકાસ કરી રહ્યા

છે. લોકોનું જીવન સ્તર કેવી રીતે સમૃધ્ધ બને તે માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે.

વર્ષ 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં આપણો દેશ વિકસિત

રાષ્ટ્ર બનશે.

કાર્યક્રમમાં

ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય

કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યુ હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. સ્વાગત પ્રવચન વાપી મહાનગરપાલિકાના

ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીએ કર્યુ હતું. આ ઉજવણીમાં જિલ્લા કલેકટર ભવ્ય

વર્મા, વાપી મનપાના

ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક, જિલ્લા સંગઠનના

મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિતના અગ્રણીઓ અને શાળા કોલેજના

વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande