ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ, સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં રાજ્યમાં આવેલ વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે રૂ. 2 કરોડ, સર્વેની કામગીરી માટે રૂ. 2 કરોડ અને વકફ બોર્ડની વેબસાઈટ તેમજ ઓનલાઈન ડીજીટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ. 2 કરોડ મળીને કુલ રૂ. 6 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
• આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે.
• ખરી મિલકતની જ નોંધણી થશે.
• બિનજરૂરી તકરારોનું નિરાકરણ આવશે.
• ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા લાવવામા આવેલ Ummeed(Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-૨૦૨૫ હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓનાં ભાગરૂપે આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો ગુજરાત સરકાર દ્રારા હાથ ધરાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ