સંવિધાન હત્યા દિવસ નિમિતે, મિસા હેઠળ જેલવાસ ભોગવેલ દેશ ભક્તોનુ સન્માન કરાયુ.
પોરબંદર, 25 જૂન (હિ.સ.)25 જૂનના રોજ પોરબંદર જિલ્લામાં બીરલા હોલ ખાતે પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસ મનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન પોરબંદર જિલ્લાના માવજીભાઈ મણિયાર, કાંતિભાઈ જોશી, સ
સંવિધાન હત્યા દિવસ નિમિતે મિસા હેઠળ જેલવાસ ભોગવેલ દેશ ભક્તોનુ સન્માન કરાયુ.


સંવિધાન હત્યા દિવસ નિમિતે મિસા હેઠળ જેલવાસ ભોગવેલ દેશ ભક્તોનુ સન્માન કરાયુ.


સંવિધાન હત્યા દિવસ નિમિતે મિસા હેઠળ જેલવાસ ભોગવેલ દેશ ભક્તોનુ સન્માન કરાયુ.


સંવિધાન હત્યા દિવસ નિમિતે મિસા હેઠળ જેલવાસ ભોગવેલ દેશ ભક્તોનુ સન્માન કરાયુ.


પોરબંદર, 25 જૂન (હિ.સ.)25 જૂનના રોજ પોરબંદર જિલ્લામાં બીરલા હોલ ખાતે પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસ મનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન પોરબંદર જિલ્લાના માવજીભાઈ મણિયાર, કાંતિભાઈ જોશી, સ્વ. કાનજીભાઈ લોઢારી, સ્વ. મધુભાઈ મહેતા અને સ્વ. મુળુભાઇ ભૂતિયા (જેઓ હયાત ન હોય તો તેમના પરીવારજનો) કે જેમણે દેશમાં અપાત્કાળ સ્થિતિ દરમિયાન મીસા કાયદા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો તેમના લોકશાહી માટેના યોગદાનને ધ્યાને લેતા તેઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

જો મીસા કાયદા વિશે વાત કરવામાં આવે તો, મીસા એટલે કે મેઈન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી એક્ટ (MISA) (ભારતની આંતરિક સલામતી માટેનો કાયદો) 1971માં ભારતમાં અમલમાં આવ્યો હતો. આ કાયદા દ્વારા રાજ્યને કોઈ પણ વ્યકિતઓને ધરપકડ કરી લાંબા સમય સુધી જેલમાં રાખવાનો અધિકાર મળતો હતો. ખાસ કરીને 25 જૂન 1975થી શરૂ થયેલી આંતરીક કટોકટીની સ્થિતિ દરમ્યાન મીસા કાયદા હેઠળ હજારો લોકો, સામાજિક કાર્યકરો, સેવકો, અગ્રણીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્યા હતા. આ કાયદો દેશના લોકશાહી ઢાંચા અને વ્યક્તિસ્વાતંત્ર્ય માટે ગંભીર ચેતવણી રૂપ બન્યો હતો.

25 જૂન 1975 ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં આ કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્યા હતા. 25 જૂન 2025 ના રોજ દેશ પર લદાયેલ આંતરીક કટોકટીને 50 વર્ષ પુર્ણ થવાના અવસર પર લોકશાહી માટેના એ કાળા દિવસને યાદ કરતા તે સમય દરમ્યાન મિસા હેઠળ જેલવાસ ભોગવીને પણ લોકશાહીને જીવંત રાખી એવા માવજીભાઈ મણિયાર, કાંતિભાઈ જોશી, સ્વ. કાનજીભાઈ લોઢારી, સ્વ. મધુભાઈ મહેતા અને સ્વ. મુળુભાઇ ભૂતિયાનું લોકશાહીના જતન માટે ભોગવેલ જેલવાસ રૂપી યોગદાન અને તેમની દેશભક્તિનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande