કતારગામમાં ત્રણ દુકાનોના તાળા તોડી તસ્કરો 1.5 લાખની રોકડ લઈ ફરાર
સુરત, 25 જૂન (હિ.સ.)-સુરતના કતારગામ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે તસ્કરો સક્રિય થઈ ગયા છે. હાથી મંદિર નજીક ત્રણ દુકાનોના તાળાં તોડી રાત્રે અંદાજે 3:35 વાગ્યે ચોરીની ઘટના બની. તસ્કરો અંદર ઘૂસીને લગભગ 1.5 લાખ રૂપિયાની રોકડ ઉઠાવી ગયા. સમગ્ર ઘટના સીસીટીવી
કતારગામમાં ત્રણ દુકાનોના તાળા તોડી તસ્કરો 1.5 લાખની રોકડ લઈ ફરાર


સુરત, 25 જૂન (હિ.સ.)-સુરતના કતારગામ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે તસ્કરો સક્રિય થઈ ગયા છે. હાથી મંદિર નજીક ત્રણ દુકાનોના તાળાં તોડી રાત્રે અંદાજે 3:35 વાગ્યે ચોરીની ઘટના બની. તસ્કરો અંદર ઘૂસીને લગભગ 1.5 લાખ રૂપિયાની રોકડ ઉઠાવી ગયા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરોની ચળપળ સ્પષ્ટ જોવા મળે છે.

આ ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સતત વરસાદ હોવા છતાં તસ્કરો નિર્વિઘ્ન ચોરી કરીને ફરાર થઈ ગયા, જેના કારણે પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં કેવી તકેદારી રાખી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવું રહ્યું કે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પકડવામાં કેટલી ઝડપ દાખવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande