પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે રહેતા એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી.
ઠોયાણા ગામે રહેતા રામભાઈ કરશનભાઈ ઓડેદરા (ઉ.વ 40) નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ બનાવને લઈ મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya