પાટણ, 26 જૂન (હિ.સ.)રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાં સામે અખિલ ભારતીય હિંદુ મહાસભા સહિત અન્ય હિંદુ સંગઠનોએ ગાંધી ચોક નગરપાલિકા ખાતે ધરણા આપી વિરોધ શરૂ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સંગઠનોએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે.
સંગઠનના મંત્રી મેવાભાઈ ભરવાડે ચેતવણી આપી કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પ્રદર્શનકારીઓએ શ્રી રામ ધૂન બોલાવી અને કતલખાનાં તાત્કાલિક બંધ કરવાની માગ સાથે નારાબાજી કરી હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
હિંદુ મહાસભાએ તંત્રને ચેતવણી આપી છે કે જો જવાબદારીથી પગલા નહીં લેવાય તો ચક્કાજામ, ઉપવાસ, બંધ અને આત્મવિલોપન જેવા પગલાં લેવામાં આવશે. સંગઠનોએ કહ્યું કે કતલખાનાંની ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો સ્થળ છોડવા મજબૂર બન્યા છે. રાષ્ટ્રીય મહામંત્રી કિશોરભાઈ ઠક્કર સહિત પાટણ જિલ્લાના હિંદુ સંગઠનોના નેતાઓએ જણાવ્યું કે જો તંત્ર નડતું નહીં ઉતારે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન ફેલાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર