બોટાદના AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાનું રાજીનામું, થોડી જ વારમાં પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ
અમદાવાદ, 26 જૂન (હિ.સ.)-બોટાદ વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુરુવારે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ થોડા જ કલાકોમાં AAP ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીના ટ્વીટ દ્વારા જાહેરાત કરી કે, ઉમેશ મકવાણા
Botad


અમદાવાદ, 26 જૂન (હિ.સ.)-બોટાદ વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુરુવારે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ થોડા જ કલાકોમાં AAP ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીના ટ્વીટ દ્વારા જાહેરાત કરી કે, ઉમેશ મકવાણા ને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓમાં શામેલ થવાના આક્ષેપો સાથે પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ X (ટ્વિટર) પર પોસ્ટ કરી હતી

ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓમાં શામેલ થવાને કારણે 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

મકવાણાના રાજીનામામાં શું લખ્યું હતું?

પત્રમાં ઉમેશ મકવાણાએ લખ્યું હતું:

હું છેલ્લા ઢાઈ વર્ષથી આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ગુજરાત વિધાનસભામાં ચીફ વિપ તરીકે સેવા આપી રહ્યો છું. હાલમાં મારી સામાજિક સેવા કરવાની ક્ષમતા ઘટી છે. તેથી હું આમ આદમી પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપી રહ્યો છું. હું એક કાર્યકર તરીકે જોડાયેલો રહીશ.

પાર્ટી પર નારાજગી પણ વ્યક્ત કરી

મકવાણાએ જણાવ્યું હતું કે તેમણે પહેલા 20 વર્ષ સુધી ભાજપમાં વિવિધ પદો પર કામ કર્યું હતું. જ્યારે ગુજરાતમાં AAPને કોઈ ઓળખતું પણ ન હતું, ત્યારે તેમણે ભાજપ છોડીને AAPમાં પ્રવેશ કર્યો હતો.

હવે એવું લાગે છે કે આપણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો પરથી ભટક્યા છીએ. તેથી રાજીનામું આપી રહ્યો છું.

નવી પાર્ટી બનાવવાનો વિચાર?

મકવાણાએ કહ્યું કે તેઓ હવે બોટાદની જનતા સાથે મુલાકાત કરશે અને વિચાર કરશે કે અલગ પાર્ટી બનાવવી છે કે કેમ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande