સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના પીએચ.ડી. સંશોધકો માટે 26-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક
ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના પીએચ.ડી. સંશોધકો માટે 26-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના પીએચ.ડી. સંશોધકો માટે 26-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક


ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.)

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના પીએચ.ડી. સંશોધકો માટે 26-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં વ્યાકરણ વિષયના પીએચ.ડી. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રેની યુનિવર્સિટીના પ્રભારી શોધનિર્દેશકશ્રી તથા માર્ગદર્શકરૂપે અત્રેના ડૉ. પંકજકુમાર રાવલ, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, વ્યાકરણ સંકાયના અધ્યક્ષ અને “દર્શનમ્” સંસ્કૃત મહાવિદ્યાલય, છારોડીના પ્રધાનાચાર્ય અર્જુન સામલ, અત્રેની યુનિવર્સિટીના ગ્રંથપાલ અને કુલપતિના OSD એવા રવીન્દ્ર કાલે અને સભ્યસચિવ-માર્ગદર્શકરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેના JRF શોધછાત્ર ઋત્વિક જાનીએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande