પાટણ, 26 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ ગામના વતની અને યુવા ભાજપના મંત્રી સ્વ. જીતુભા વાઘેલા ના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી છે. હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર તેમના નિવાસસ્થાને હાજરી આપી અને પરિવારને રૂ. 1,55,000નો ચેક અર્પણ કર્યો હતો.
આ સહાય અર્પણ કાર્યક્રમ દરમિયાન હારીજ તાલુકા હોમગાર્ડ યુનિટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સહાય અર્પણ થકી સ્વ. જીતુભા વાઘેલા પરિવાર પ્રત્યે હોમગાર્ડ દળે આર્થિક અને માનસિક સહાનુભૂતિ વ્યક્ત કરી.
સ્વ. જીતુભા વાઘેલા એક જાગૃત યુવા નેતા તરીકે ઓળખાતા હતા. તેમના અવસાનથી સમાજ અને યુવા ભાજપમાં ખોટ અનુભવાઈ છે. આ સહાય તેમના પરિવાર માટે સહારરૂપ બની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર