પોરબંદર તાજીયા કમિટીના હોદ્દેદારોની વર્ણી કરાઈ
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા તાજીયા કમિટીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પોરબંદર, છાંયા, રાણાવાવ, કુતિયાણા અને ગોસાબારા તથા માધવપુરના તાજીયા પરવાનેદારની મીટીંગ જનાબ સૈયદ અ.રસીદબાપુ અ.ગફાર્બાપુ બુખારીના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં પોરબં
પોરબંદર તાજીયા કમિટીના હોદ્દેદારોની વર્ણી કરાઈ


પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા તાજીયા કમિટીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પોરબંદર, છાંયા, રાણાવાવ, કુતિયાણા અને ગોસાબારા તથા માધવપુરના તાજીયા પરવાનેદારની મીટીંગ જનાબ સૈયદ અ.રસીદબાપુ અ.ગફાર્બાપુ બુખારીના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં પોરબંદર જીલ્લા તાજીયા કમિટીના હોદ્દેદારો સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ તરીકે હાજી અ.કરીમભાઈ ડી. પીરઝાદા (એડવોકેટ), ઉપપ્રમુખ તરીકે ફારૂક કાસમ જુલાયા, અને હાજી નુરૂલઅમીન જી. બેલીમ,જનરલ સેક્રેટરી તરીકે સલીમ ઉમર રાઠોડ, જો. સેક્રેટરી તરીકે હુશેન એચ. બુખારી (એડવોકેટ), ખજાનચી તરીકે સૈયદ અ.રસીદાપુ હાજી ગફારમીયાં બુખારી તેમજ કારોબારી સભ્ય તરીકે રફીક સુલ્તાન મલેકની નીમણુંક કરવામાં આવી છે. ઉપર મુજબ પોરબંદર જીલ્લા તાજીયા કમિટીની રચના સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande