ગોધરા, 26 જુન (હિ. સ.) : 28 મી જુનના રોજ દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહ પંચમહાલ મા આવનાર છે, જેઓ ગોધરાના વિઝોલ ખાતે આવે ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના 65કરોડ ના ખર્ચ થી તૈયાર થયેલ વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને ભુમી પૂજન કરશે,મધ્ય ગુજરાત ની મુખ્ય કહેવાતી ગોવિદ ગુરુ યુનિવર્સીટી મા ગોધરા ના વિંઝોલ ખાતે આવેલ તૈયાર થયેલ.
--10 કરોડ ના ખર્ચે બનેલ સેન્ટર ઓફ એક્સલેન્સ
--15કરોડ ના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટી પર્પસ કોમ્પ્લેક્સ
--12કરોડ ના ખર્ચે બનેલ સિંથેટિક ટ્રેક ઓલોમ્પિક કક્ષા નો ઉપરાંત ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ જે રણજી ટ્રોફી મેચ રમી શકાય એવા
--2કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલ તળાવ
--મિયાંવાંકી વન કવચ તથા 23 કરોડ ના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ બિલ્ડીંગ અને 3 કરોડ ના ખર્ચે તૈયાર થનાર એમીનીટી સેન્ટર નું ભુમી પૂજન કરવાના છે. જેની હાલ ચાલી રહી છે તડામારા તૈયારીઓ અને આ બાબતે યુનિવર્સીટીના કુલપતિ હરીભાઈ કટારીયા દ્વારા સમગ્ર માહિતી આપવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ