પોરબંદર, 26 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ડેમની મુલાકાત લીધી હતી. મંત્રીએ અમીપુર ડેમની કાર્યપ્રણાલી, હાલના પાણી સંગ્રહની પરિસ્થિતિ ડેમની મજબૂતી તેમજ ડેમના નવ નિર્મિત દરવાજાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ડેમ ખાતે વિવિધ કામગીરીની વિગતવાર માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી.સ્થળ પર મંત્રીએ સ્થાનિક નાગરિકો અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી અને સંબંધિત પરિસ્થિતિને ધ્યાને લઇ કનેક્ટિંગ ચેનલના નિર્માણ, પાળાની મજબૂતી તેમજ અન્ય સંવેદનશીલ મુદ્દાઓ અંગે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.અને ઘેડ વિસ્તારમાં ઘેડની પાણીની સમસ્યા નિવારણના વિવિધ ચાલુ કામોની સમીક્ષા કરી હતી. આ તકે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર મિલન સોરઠીયા, નાયબ કાર્યપાલક ઇજનેર અજય મકવાણા, પ્રતિક ઓડેદરા સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya