રાજીવનગરમાં પાણી નિકાલની જગ્યાએ દીવાલ ચણી દેતા લોકોમાં રોષ
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ખાસ કરી ને શહેરના રાજીવનગર વિસ્તારમાં પાણીનો ભરાવો વધારે થતા તેમજ પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા લોકોને લાખો રૂપિયાની નુકશાની વેઠવી પડી હત
રાજીવનગરમાં પાણી નિકાલની જગ્યાએ દીવાલ ચણી દેતા લોકોમાં રોષ.


રાજીવનગરમાં પાણી નિકાલની જગ્યાએ દીવાલ ચણી દેતા લોકોમાં રોષ.


રાજીવનગરમાં પાણી નિકાલની જગ્યાએ દીવાલ ચણી દેતા લોકોમાં રોષ.


રાજીવનગરમાં પાણી નિકાલની જગ્યાએ દીવાલ ચણી દેતા લોકોમાં રોષ.


પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ખાસ કરી ને શહેરના રાજીવનગર વિસ્તારમાં પાણીનો ભરાવો વધારે થતા તેમજ પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા લોકોને લાખો રૂપિયાની નુકશાની વેઠવી પડી હતી. ત્યારે આ વખતે આ સ્થિતિનું પુનઃનિર્માણ ન થાય તે માટે સતતને સતત તંત્રને રજુઆત કરવામાં આવી હતી. જેના પગેલ સાઈબાબા મંદિર નજીકના વિસ્તારોમાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પાણી નિકાલના સ્થળે જે પણ રહેણાંક દબાણો હતા તેને હટાવવામાં આવ્યા હતા. પરંતુ રાજીવનગર વિસ્તારના ગેટ નજીક જ્યાંથી પાણીનો નિકાલ થાય છે. ત્યાં જ ફરતે દીવાલ ચણી દેવામાં આવી છે જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજીવનગર વિસ્તારના લોકોની માંગ છે કે, દીવાલને દૂર કરી ફરતે ફેન્સીંગ કરી આપવામાં આવે જેથી કોઈ પશુ કે માણસ ગરનાળામાં ખાબકે નહિ. તેવી માંગ સ્થાનિકોએ કરી છે.તો બીજી તરફ પોરબંદર મનપાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ આ મુદ્દે જણાવ્યું હતું કે, વરસાદી ઋતુમાં પશુ કે માણસ ગરનાળામાં પડે નહિ તે માટે ફરતે દીવાલ ચણવામાં આવી છે અને પાણી નિકાલ માટે પાઇપ મુકવામાં આવ્યા છે પરંતુ હાલ રાજીવનગર વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને રાખી દીવાલ નીચે જે પાઈપો પાણી નિકાલ માટે મુકવામાં આવ્યા છે. તે સ્થળે પાણીના ફોર્સથી પાણીનો નિકાલ થાય તે માટે તે જગ્યા મોટી કરી આપવામાં આવશે તે માટે એન્જી.ને સૂચના આપી દેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande