પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના સોઢાણા ગામની માળીયા સીમ વિસ્તારમાં રહેતા વૃધ્ધાનુ કુવામા પડી જતા મોત થયુ છે, સોઢાણા ખાતે રહેતા સંતોકબેન જેઠાભા કારાવદરા (ઉ.વ 47)નામના મહિલા ધુની મગજના હોય ગઇકાલે શુક્રવારે પોતાની મેળે કુવામાં પડી જતા તેમનુ ડુબી જવાથી મોત થયુ હતુ.
આ બનાવની જાણ થતા પરિવારજનો તુરંત દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢયો હતો આ બનાવ અંગ બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya